Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

ઇંગ્લેન્ડ સામેની સીરીઝ માટે શ્રીલંકન ટીમની જાહેરાત

કુસલ પરેરાની વાપસી : લાહીરુ થીરીમાનેને બહારનો રસ્તો દેખાડાયો

નવી દિલ્હી : ઇંગ્લેન્ડ સામે બે ટેસ્ટ મેચની સીરીઝ માટે શ્રીલંકન ટીમની જાહેરાત કરી દીધી છે. કુસલ પરેરાની વાપસી થઈ છે અને લાહીરુ થીરીમાનેને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. ઝિમ્બાબ્વે સામે જાન્યુઆરીમાં ટેસ્ટ સીરીઝ રમનારી શ્રીલંકન ટીમમાં આ ફેરફાર થયો છે. અન્ય ૧૪ ખેલાડી તેજ છે જે ઝિમ્બાબ્વે ગયા હતા.

છેલ્લા વર્ષે સાઉથ આફ્રિકા સામે ડર્બન ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરનાર કુસલ પરેરા ઝિમ્બાબ્વે સામે ટીમના ભાગ નહોતા. એન્જેલો મેથ્યુઝ અને દિનેશ ચાંદીમલના હોવાના કારણે તેમને ટીમના ભાગ બનાવી શક્યા નહોતા. શ્રીલંકાના મુખ્ય પસંદગી અશાંતા ડી મેલે આ વિશેમાં બતાવ્યું હતું. કુસલ પરેરાએ છેલ્લી વખત ન્યુઝીલેન્ડ સામે ઓગસ્ટ ૨૦૧૯ માં ટેસ્ટ મેચ રમી હતી. પ્રદર્શન ખરાબ રહેવાના કારણે તેમને પાકિસ્તાન અને ઝિમ્બાબ્વે સામે ટીમમાં ભાગ બનાવવામાં આવ્યા નહોતા.

લાહીરુ થીરીમાને ઝિમ્બાબ્વે સામે ટેસ્ટ ટીમમાં સામેલ થઈ હોવા છતાં મેચ રમી શકી નહોતી. તેમને અંતિમ ઈલેવનમાં જગ્યા મળી નહોતી. શ્રીલંકન ટીમમાં ઓશાડા ફર્નાન્ડોને કરુણારત્ને સાથે ટોપ ઓર્ડરમાં બેટિંગની તક મળી હતી. શ્રીલંકા ક્રિકેટે એ પણ કહ્યું છે કે, તે ઇંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટ પૂર્વ વનીંદુ હસારંગાના રિપ્લેસમેન્ટ જાહેર કરશે. શ્રીલંકા અને ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ ૧૯ માર્ચના ગાલેમાં રમાશે.

શ્રીલંકાની ટીમ આ પ્રકાર છે : દિમુથ કરુણારત્ને (કેપ્ટન), ઓશાડા ફર્નાન્ડો, કુસલ મેન્ડીસ, એન્જેલો મેથ્યુઝ, દિનેશ ચાંદીમલ, કુસલ જેનિથ, ધનંજય ડી સિલ્વા, નીરોશન ડીકવેલા, સૂરંગા લકમળ, લાહીરુ કુમારા, વિશ્વા ફર્નાન્ડો, કસુન રજિતા, દિલરુવાન પરેરા, લસિથ એમ્બુલડેનિયા, લક્ષણ સંદાક્ન

(1:17 pm IST)