Gujarati News

Gujarati News

News of Wednesday, 9th June 2021

શ્રીલંકા ઇંગ્લેન્ડના પ્રવાસે જશેઃ ટીમ જાહેરઃ એન્જલો મેથ્યુઝ સહિત ૩ ખેલાડીઓ બહાર

૯ જુને ઇંગ્લેન્ડ રવાના, ત્રણ ટી-૨૦, ત્રણ વન-ડે રમશે

નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડ અને શ્રીલંકા સામેની વન-ડે અને ટી-૨૦ માટે શ્રીલંકા ટીમની જાહેરાત કરવામાં આવી છે. અંજેલો મૈથ્યુઝ સહિત ૩ ખેલાડી બહાર કરવામાં આવ્યા છેે.

ઇંગ્લેન્ડ સામેની ટી-૨૦ અને વન-ડે સીરીઝ માટે શ્રીલંકા ટીમના ૧૪ સભ્યોની ઘોષણા કરી છે. નુવાન પ્રદીપ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેનો બાંગ્લાદેશ વન-ડે સીરીઝ સમાવેશ ન હોતો કરવામાં આવ્યો.

શ્રીલંકા ટીમ ૯ જુને ઇંગ્લેન્ડ રવાના થશે. ૩ મેચ ટી-૨૦, ત્રણ વન-ડે મેચ સીરીઝ રમશે. ૧૮ જુન એક વન-ડે પ્રેકટીસ મેચ અને ૨૦ જુન ટી-૨૦ મેચ ખેલશે. ૨૩ જુનથી ટી-૨૦ મેચની શરૂઆત થશે. ૨૧ જુનથી વન-ડે સીરીઝ શરૂઆત થશે.

ઇંગ્લેન્ડ સામે શ્રીલંકા  ટીમ આ મુજબ છે. કુશલ પરેશ (કેપ્ટન) કુશલ મેંડીસ, દનુષ્કા ગુણથિલકા, અવિષ્કા ફર્નોડો, પથુમ નિસાનકા, નિરોશન ડિકવેલા, ધનંજયા ડી સિલ્વા, ઓશદા ફર્નાડો, ચરિત અસલંંકા, દસુન શનાકા, વનિન્હ હસરેગા, રમેશ મેંડીસ ચમિકા કરૂણારત્ને ધનંજય લક્ષ્મણ ઇશાન જયરત્ને, દુષ્મેથા ચમીરા, ઇશુરા ઉદાના, અસીથા ફનાડો, નુવાન પ્રદીપ, બિનુરા ફર્નાડો, શિરન ફર્નાડો, લક્ષન સેદાકન, અકિલા ધનંજય પ્રવિણ જયવિક્રમા

(12:53 pm IST)