Gujarati News

Gujarati News

News of Monday, 9th April 2018

સુનિલ નારાયણની માત્ર ૧૭ બોલમાં ફિફટી

IPL : બેંગ્લોરે કોલકતાને ૪ વિકેટે હરાવ્યુ : કાર્તિકની કેપ્ટનશીપનો વિજય

આઈપીએલના ત્રીજા મેચમાં કોલકતાનો ચાર વિકેટે શાનદાર વિજય થયો છે. બેંગ્લોરે કોલકતાને ૧૭૭ના ટાર્ગેટ આપ્યો હતો. સુનિલ નારાયણની તોફાની બેટીંગથી કોલકતા મજબૂત સ્થિતિમાં આવી ગઈ હતી. નારાયણ માત્ર ૧૭ બોલમાં ૫૦ રન ફટકારી દીધા હતા. ૫૦ (૧૭) કર્યા ત્યારબાદ કેપ્ટન દિનેશ કાર્તિક અને નીતીશ રાણા વચ્ચે સારી પાર્ટનરશીપ થઈ હતી અને ૧૮.૫ ઓવરમાં જ ૧૭૭/૬ કરી નાખીને વિજય મેળવ્યો હતો.

બેંગ્લોરે ૭ વિકેટ ગુમાવીને ૧૭૬ રન કર્યા હતા. જેમાં ડિવિલિયર્સે ૨૩ બોલમાં ૪૪ રન કર્યા હતા. કેપ્ટન વિરાટ કોહલી અને ડિવિલિયર્સ બંનેને નિતિશ રાણાએ આઉટ કર્યા હતા.

(12:59 pm IST)