Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

ભારત ઇંગ્લેન્ડ સામે જાણીજોઈને હાર્યુ એમ કહેવું યોગ્ય નથી : સરફરાઝ એહમદ

ભારત ઉપર માછલા ધોનાર પાક. કેપ્ટન હવે ફરી ગયો

કરાચી : વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં પાકિસ્તાનની ટીમ બહાર નીકળી ચૂકી છે અને ભારત સેમી ફાઇનલમાં પહોંચી ચૂકયું છે. ટુર્નામેન્ટના પાછલા દિવસો પર નજર કરીએ તો જો ભારતે ઇંગ્લેન્ડને હરાવ્યું હોત તો પાકિસ્તાન માટે સેમી ફાઇનલમાં જવાનો માર્ગ સરળ થયો હોત, પણ એમ ન થતાં આખી બાજી પલટી ગઈ હતી અને ઇંગ્લેન્ડે ભારતને હરાવી દીધું હતું. આ બાબતે પાકિસ્તાનના કપ્ટન સરફરાઝ એહમદને પ્રેસ-કોન્ફરન્સમાં પૂછવામાં આવ્યું કે શું પાકિસ્તાનને ટુર્નામેન્ટની બહાર ધકેલવા માટે ભારત જાણીજોઈને એ મેચ હાર્યું હતું ત્યારે સરફરાઝે એ વાતને નકારી કાઢતાં કહ્યું હતું, ના-ના, આમ કહેવું ટોટલી ખોટું છે. હું નથી માનતો કે ભારત અમારા કારણે મેચ હાર્યું. ઇંગ્લેન્ડ જીતી શકે એ માટે ઘણું સારું રમ્યું હતું.

પાકિસ્તાનના અનુભવી ખેલાડી શોએબ મલિકની રિટાયરમેન્ટ વિશે સરફરાઝને પ્રશ્નો કરવામાં આવ્યા હતા જેના તેણે ચતુરાઈપૂર્વક જવાબ આપ્યા હતા.

(4:00 pm IST)