Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

૫ હજાર ફેમિલી માટે અનાજ દાન કર્યું ગીતા બસરા અને હરભજને

નવીદિલ્હીઃ હરભજન સિંહે તેની પત્ની ગીતા બસરા સાથે મળીને ૫ હજાર ગરીબ પરિવારો માટે અનાજ દાન કર્યું છે. કોરોના વાયરસને કારણે ભારતમાં લોકડાઉન છે. રોજિંદા કામ કરીને ગુજરાન ચાલવતા લોકો માટે આ ખુબ જ મુશ્કેલ ઘડી છે. આથી હરભજન સિંહ ટ્વીટ કર્યું હતું કે 'ગીતા બસરા અને હું ૫ હજાર ફેમિલી માટે આજથી અનાજ દાન કરી રહ્યા છીએ. વાહેગુરની આપણા પર હંમેશાં મહેર રહે.'

(3:30 pm IST)