Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

દિલ્હીમાં મેચ યોજવા બાબતે વિચાર કરશે ક્રિકેટ બોર્ડ

શ્રીલંકાની ટીમે પ્રદુષીત હવા વિશે કરેલી ફરિયાદ બાદ

શ્રીલંકાની ક્રિકેટ ટીમે પ્રદૂષિત હવા વિશે કરેલી ફરિયાદ બાદ ભારતીય ક્રિકેટ બોર્ડ દિલ્હીમાં ભવિષ્યમાં મેચ યોજતાં પહેલાં તમામ બાબતોનો વિચાર કરશે. પ્રદૂષણને કારણે શ્રીલંકાના ખેલાડીઓની હાલત બગડતાં ત્રણ વખત મેચને અટકાવવામાં આવી હતી. જોકે ગઈકાલે આવી પરિસ્થિતિથી ટેવાયેલા હોવાથી ભારતીય ખેલાડીઓને કોઈ વાંધો નહોતો આવ્યો. ગઈકાલે ત્રીજા દિવસની રમત પૂરી થયા બાદ ભારતીય ક્રિકેટ બોર્ડના કાર્યકારી સચિવ અમિતાભ ચૌધરીએ કહ્યું હતું કે પ્રદૂષણના સ્તરને જોતાં દિલ્હીમાં મેચના આયોજન વિશે ભવિષ્યમાં વિચાર કરવામાં આવશે. રવિવારે શ્રીલંકાના ખેલાડીઓએ મેદાન પર ફીલ્ડિંગ ભરવાની ના પાડતાં ભારતે ૭ વિકેટે ૫૩૬ રને દાવ ડિકલેર કર્યો હતો.

(3:56 pm IST)