Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

રોહિત ફીટ નહિ હોય તો સૂર્યા સાથે કીશન ઓપનિંગ કરશે

કાલે ભારત-વિન્‍ડીઝ વચ્‍ચે ચોથો મુકાબલોઃ સાંજે ૮ વાગ્‍યાથી લાઇવ : શ્રેયસ, પંત, પંડયાએ ફોર્મ બતાવવું પડશેઃ હર્ષલ પટેલનો સમાવેશ કરાશે

નવી દિલ્‍હીઃ ભારત અને વેસ્‍ટ ઇન્‍ડિઝ ક્રિેકેટ ટીમ વચ્‍ચે ચાલી રહેલી પાંચ મેચોની ટી૨૦ સિરીઝથી ચોથી મેચ ૬ ઓગષ્‍ટે ફલોરિડાના લોડરહિલ સ્‍થિત સેન્‍ટ્રલ બ્રોવર્ડ રિજનલ પાર્ક સ્‍ટેડિયમ ટર્ફ ગ્રાઉન્‍ડ ખાતે રમાશે. મેચ આઠ વાગ્‍યાથી શરૂ થશે. ટીમ ઇન્‍ડિયા સિરીઝ જીતવાના ઇરાદાથી મેદાનમાં ઉતરશે.

પીઠના દુખાવાના કારણે રોહિત શર્મા રિટાયર્ડ હર્ટ થયો હતો. જોકે, એવું કહેવામાં આવી રહ્યું છે કે તે સંપૂર્ણ રીતે ફિટ છે અને ચોથી મેચ રમવા માટે તૈયાર છે જોકે, જો તે મેચના દિવસે મેદાનમાં ઉતરી ન શકે તો તેના સ્‍થાને યુવા બેટ્‍સમેન ઇશાન કિશન સૂર્યકુમાર યાદવ સાથે ઇનિંગ્‍સની શરૂઆત કરતો જોવા મળી શકે છે.

મિડલ ઓર્ડરની કમાન શ્રેયસ અય્‍યર, ઋષભ પંત અને હાર્દિક પંડયાના ખભા પર રહેશે. આ ત્રણેય ખેલાડીઓ વર્તમાન શ્રેણીમાં પ્રદર્શન કરવામાં નિષ્‍ફળ રહ્યા છે. જોકે આ ત્રણેય ખેલાડીઓ મેચ વિનિંગ ખેલાડી છે. આવી સ્‍થિતિમાં ટીમ મેનેજમેન્‍ટ આ ખેલાડીઓ પર શ્રેણી જીતવા માટે વિશ્વાસ કરી શકે છે. આ સાથે જ મેચ ફિનિશ કરવાની જવાબદારી દર વખતની જેમ દિનેશ કાર્તિક અને રવિન્‍દ્ર જાડેજાના ખભા પર રહેશે.

ટીમ મેનેજમેન્‍ટ સિરીઝ જીતવા માટે ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ અને અર્શદીપ સિંહની પેસ ત્રિપુટી પર ભરોસો રાખી શકે છે. આવેશખાનને પડતો મુકવામાં આવી શકે છે.

ચોથી ટી૨૦ મેચમાં ટીમ ઇન્‍ડિયાની સંભવીત ટીમઃ ૧. રોહિત શર્મા/ ઇશાન કિશન ૨. સૂર્યકુમાર યાદવ ૩. શ્રેયસ ઐય્‍યર ૪.ઋષભ પંત (વિકી)૫. હાર્દિક પંડયા ૬. દિનેશ કાર્તિક ૭. રવિન્‍દ્ર જાડેજા ૮. ભુવનેશ્વર કુમાર ૯.હર્ષલ પટેલ ૧૦. અર્શદીપ સિંહ ૧૧. આર. અશ્વિન

(3:25 pm IST)