Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

આપણે જંગલી છીએ, શું આપણે કંઈ શીખતા જ નથી?

કેરળની ઘટનાનું દુખ વ્યકત કરતાં રોહિત શર્માએ કહ્યું...

મુંબઈઃ કેરળમાં અકે ગર્ભવતી હાથણીને ફટાકડા ભરેલું પાઈનેપલ ખવડાવીને જે ક્રૂરતા આચરવામાં આવી એનાથી સમગ્ર દેશમાં ક્રોધાગ્નિ ફાટી નીકળ્યો છે. સ્પોર્ટ્સ- પર્સન પણ એ ઘટનાને લઈને દુઃખ અને ગુસ્સો વ્યકત કરી રહ્યા છે.

રોહિત શર્મા અને વિરાટ કોહલીએ પણ આ ઘટના પર દુઃખ વ્યકત કર્યું હતું અને તીખા સવાલનો મારો કર્યો હતો. રોહિતે કહ્યું કે 'આપણે જંગલી છીએ. શું આપણે કંઈ શીખી નથી રહ્યા ? કેરળમાં હાથી સાથે જે ઘટના બની એ ખરેખર દુઃખદ છે. કોઈપણ પ્રાણી પ્રત્યે ક્રૂરતા ન દેખાડવી જોઈએ.'

(3:04 pm IST)