Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

પાકિસ્‍તાનને સેમી ફાઇનલમાં ૧૦ વિકેટથી હરાવીને અંડર-૧૯ વિશ્વકપની ફાઇનલમાં ભારતીય ટીમે જગ્યા બનાવતા દિગ્ગજ હસ્‍તીઓએ ભારતીય ટીમને શૂભેચ્‍છાનો ધોધ વરસાવ્યો

પોચેસ્ત્ર (દક્ષિણ આફ્રિકા): ભારતીય ટીમે દમદાર પ્રદર્શનની મદદથી પાકિસ્તાનને સેમિફાઇનલમાં 10 વિકેટથી હરાવીને મંગળવારે અન્ડર-19 વિશ્વકપની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ઓપનર યશસ્વી જયસ્વાલે સદી (105*) ફટકાર્યા અને દિવ્યાંશ સક્સેનાએ પણ અણનમ 59 રનની ઈનિંગ રમી હતી. આ જીત બાદ દિગ્ગજ હસ્તિઓએ ભારતીય ટીમને શુભેચ્છા આપી છે.

ભારતીય ટીમ સતત ત્રીજીવાર અન્ડર-19 વિશ્વકપની ફાઇનલમાં પહોંચી છે. ભારતીય બોલરોએ પહેલા પાકિસ્તાનને 172 રનમાં સમેટી દીધું હતું. ત્યારબાદ માત્ર 35.2 ઓરમાં 176 રન બનાવીને જીત હાસિલ કરી હતી.

દિગ્ગજ ક્રિકેટર વીવીએસ લક્ષ્મણે લખ્યું, 'યુવા યશસ્વી જયસ્વાલને જોઈને સારૂ લાગ્યું, બોલિંગે પણ વિપક્ષી ટીમને શિકંજો કસ્યો. ભારત માટે વધુ એક આસાન જીત અને ફાઇનલમાં ફાઇનલ માટે શુભકામનાઓ.'

પોતાની આગેવાનીમાં ભારતને અન્ડર-19 વિશ્વકપ ચેમ્પિયન બનાવી ચુકેલ મોહમ્મદ કેફે લખ્યું, 'યશસ્વી ભવઃ. વર્ષ 2014થી અત્યાર સુધી પાકિસ્તાન વિરુદ્ધ સતત 5મી જીત. શુભેચ્છા ટીમ ઈન્ડિયા.'

પૂર્વ વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સહેવાગે લખ્યું, 'હવે તો આદત બની ગઈ છે.'

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે લખ્યું, 'ભારતીય ટીમ ત્રીજીવાર ફાઇનલમાં પહોંચી, સિરીઝમાં ટીમનું શાનદાર પ્રદર્શન. તિરંગાને ઉંચો રાખવા માટે યુવાઓને શુભેચ્છા.'

કેન્દ્રીય મંત્રી અને પૂર્વ બીસીસીઆઈ અધ્યક્ષ અનુરાગ ઠાકુરે પણ ભારતીય ટીમને શુભેચ્છા આપી છે.

બીસીસીઆઈના સચિવ જય શાહે પણ ટ્વીટ કરીને ટીમને અભિનંદન આપ્યા છે.

(4:55 pm IST)