Gujarati News

Gujarati News

News of Tuesday, 4th February 2020

ન્યુઝીલેન્ડ સામે બે ટેસ્ટ મેચની સીરીઝ માટે ભારતીય ટીમમાં મયંક અગ્રવાલ, પૃથ્વી શો, શુભમન ગીલ, નવદીપ સૈની અને ઈશાંત શર્માનો સમાવેશ

નવી દિલ્હી : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વન-ડે બાદ તુરંત બે  ટેસ્ટ મેચોની સીરીઝ રમાનાર છે : જેમાં ભારતીય ટીમનું એલાન કરવામાં આવ્યુ છે : રોહિત શર્મા વન-ડે અને ટેસ્ટ સીરીઝમાંથી બહાર થઈ ગયો છે તેની જગ્યાએ મયંક અગ્રવાલને સ્થાન અપાયુ છે જયારે ટેસ્ટ સીરીઝમાં પૃથ્વી શોનો સમાવેશ કરાયો છે : જયારે ફાસ્ટ બોલર નવદીપ સૈનીને પણ ટેસ્ટ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે : તેણે ફર્સ્ટ કલાસ ક્રિકેટમાં સારા પ્રદર્શન બાદ ટી-૨૦માં પણ શાનદાર પર્ફોર્મન્સ કર્યુ હતું : આ ઉપરાંત વર્લ્ડકપ ૨૦૧૯ બાદ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસમાં અંતિમ ટેસ્ટ મેચ રમાનાર જશપ્રીત બુમરાહને પણ ટેસ્ટમાં સમાવેશ કરાયો છે : બુમરાહે અંતિમ ટેસ્ટમાં હેટ્રીક લીધી છે : બુમરાહે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ દરમિયાન માઈનર સ્ટ્રેસ ફેકચર થયુ હતું : બે ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમ આ મુજબ છે : વિરાટ કોહલી (કેપ્ટન), મયંક અગ્રવાલ, પૃથ્વી શો, શુભમન ગીલ, ચેતેશ્વર પૂજારા, અજિંકય રહાણે (વાઈસ કેપ્ટન), રીષભ પંત (વિકેટકીપર), આર. અશ્વિન, રવિન્દ્ર જાડેજા, જશપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, નવદીપ સૈની અને ઈશાંત શર્મા.

(4:16 pm IST)