Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

33 વર્ષીય અંબાતી રાયડુનો ડેબ્યુ પહેલા જ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ;માત્ર વન ડે અને ટી -20 રમશે

 

નવી દિલ્હીઃ અંબાતી રાયડુએ વન ડે ટીમમાં પોતાનું સ્થાન પાકું કરવાની સાથે ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. તેણે જણાવ્યું કે, તે પોતાનું ધ્યાન વન ડે અને ટી20 ક્રિકેટમાં લગાવવા માગે છે. આથી તેણે પ્રથમ શ્રેણીના ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. પ્રથમ શ્રેણી ક્રિકેટમાંથી સંન્યાસનો સીધો અર્થ એવો થાય છે કે તેણે ટેસ્ટ ટીમમાં પ્રવેશ મેળવવાની આશા હવે છોડી દીધી છે

33 વર્ષના અંબાતી રાયડુએ પોતાની 5 વર્ષની ઈન્ટરનેશનલ ક્રિકેટ કારકિર્દીમાં 45 વન ડે અને 6 ટી20 મેચ રમી છે. દરમિયાન તેને હજુ સુધી એક પણ ટેસ્ટ મેચ રમવાની તક મળી નથી. આથી કહી શકાય કે તેણે ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ પહેલાં ક્રિકેટના ફોર્મેટને અલવિદા કહી દીધી છે. તે હવે રણજી ટ્રોફીમાં પણ નહીં રમે

(10:06 pm IST)