Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

રોહિતે કમબેક કરવાની ઉતાવળ કરી તો વધી શકે છે મુશ્કેલી : શાસ્ત્રી

દુબઈ : ભારતીય ટીમના સ્ટાર અને વાઈસ કેપ્ટન રોહિત શર્માના ઈન્જરી અને કમબેકની ચર્ચાઓ અંગે ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રીએ સ્પષ્ટતા કરી હતી કે તેણે કમબેક માટે ઉતાવળ ન કરવી જોઈએ. એમ કરશે તો ઈન્જરી વકરી શકે છે.

શાસ્ત્રીએ કહ્યું હતું કે મેડીકલ ટીમના રીપોર્ટને આધારે સિલેકટરોએ નિર્ણય લીધો છે. અમે એમાં કશે પણ જોડાયેલા નથી. હું માત્ર એટલુ જ જાણું છું કે મેડીકલ રીપોર્ટ અનુસાર કમબેકની ઉતાવળ કરી તો રોહિતની ફરીવાર ઈજાગ્રસ્ત થવાની શકયતા છે. એક પ્લેયર માટે ઈજાગ્રસ્ત થવું સૌથી મોટુ ફ્રસ્ટ્રેશન છે.

(2:41 pm IST)