Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

ભારત અને પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ- સિરીઝ શરૂ કરવા ફરોખ એન્જિનિયરે ઈમરાનને કરી અપીલ

ભારતના ભૂતપૂર્વ વિકેટકીપર - બેટ્સમેન ફરોખ એન્જીનિયરે પાકિસ્તાનના વર્લ્ડ કપ વિનીંગ કેપ્ટનમાંથી વડાપ્રધાન બનેલા ઈમરાન ખાનને અપીલ કરી છે કે તે પોતાની રાજકીય વગનો ઉપયોગ કરીને ભારત - પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષી ટેસ્ટ સીરીઝ ફરી શરૂ કરાવે. ૨૦૦૮માં થયેલા મુંબઈ હુમલા પછી આ બંને કટ્ટર હરીફ દેશો વચ્ચે કયારેય ટેસ્ટ સીરીઝ રમાય નથી. છેલ્લી ટેસ્ટ - સીરીઝ ભારતમાં ડિસેમ્બર - ૨૦૦૭માં રમાઈ હતી. જેમાં ભારત ૧-૦ થી જીત્યુ હતું. લંડનમાં યોજાયેલા પ્રથમ રણજી મેમોરીયલ લેકચરમાં ફરોખ એન્જીનિયરે કહ્યું હતું કે બંને દેશો પાસે ઘણા પ્રતિભાશાળી ખેલાડીઓ છે. એક ક્રિકેટર તરીકે મને ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટેસ્ટ - સીરીઝ જોવાની ગમે છે.

(3:27 pm IST)