Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

વર્લ્ડકપમાં વોર્નર, રાશિદ અને જોફ્રા આર્ચર ધૂમ મચાવશે : સચિન

નવી દિલ્હી : માન બેટ્સમેન અને ક્રિકેટના ગુરુમાં જેમનું નામ લેવાય એવા ભારતના ખેલાડી સચિન તેંડુલકરનું માનવું છે કે આઇસીસી વર્લ્ડ કપ-૨૦૧૯માં ડેવિડ વોર્નર, રાશિદ ખાને અને જોફ્રા આર્ચર ધૂમ મચાવવાના છે. આ ત્રણ ખેલાડીનાં પ્રદર્શન પર ધ્યાન રાખશું, કારણ કે તેઓ મેચને બદલવાની તાકાત ધરાવે છે. તેંડુલકરે સ્ટાર સ્પોર્ટ્સ પર  કોમેન્ટરીમાં ડેબ્યુ બાદ આ વાત કરતાં કહ્યું કે મને લાગે છે કે રાશિદ આ ટુર્નામેન્ટમાં ઊથલપાથલ કરવામાં વધારે ભૂમિકા ભજવશે. સચિને કહ્યું કે પોતે ઇચ્છે છે કે આ વખતે રાશિદ ડીપ મિડ વિકેટ ક્ષેત્રરક્ષકો સાથે બેટ્સમેનોને પડકાર ફેંકે. મારું કહેવું છે કે તે ટેસ્ટ-મેચની જેમ જ રમે.

(11:20 am IST)