Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

સુદિરમન કપ: ભારતનું પ્રતિનિધિત્વ કરશે સિંધુ,સાઈન અને શ્રીકાંત

નવી દિલ્હી: ઓલમ્પિક વિજેતા પીવી સિંધુ અને સાઈન નેહવાલ સિવાય કિદાંબી શ્રીકાંત ચીનના નૈનિગમા 19થી 26 મેં સુધી યોજાનાર 2019 સુદિરમન કપ મિશ્રીત ટીમ ચેમ્પિયનશીપમાં ભારતની મજબૂત ટીમની પ્રતિનિધત્વ કરશે. વિશ્વ ચેમ્પિયનશિપની ચાર વખતની પદક વિજેતા સિંધુએ 2016માં રિયો ઓલમ્પિકમાં રજત પદક જીત્યું હતું જયારે સાઈન નહેવાલે 2012માં લંડન ઓલમ્પિકમાં કાંસ્ય પદક હાસિલ કર્યું હતું. શ્રીકાંત હાલમાં વિશ્વ મેન સિંગલ્સ રેંકિંગ્સમાં આઠમું સ્થાન ધરાવે છે. આ ટૂર્નામેન્ટમાં ભારતને આઠમા સ્થાન આપવામાં આવ્યું છે. ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં અગાઉના ટુર્નામેન્ટમાં, ભારત ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવામાં સફળ રહ્યો હતો. ભારતને ગ્રુપ ડીમાં સખત ચીન અને મલેશિયા સાથે રાખવામાં આવ્યા છે અને નોકઆઉટ તબક્કામાં રહેવા માટે, તેઓને લીગ તબક્કામાં ટોચની બે ટીમોમાં રહેવાની જરૂર છે.

(5:14 pm IST)