Gujarati News

Gujarati News

News of Thursday, 31st January 2019

જુનાગઢ ઉનડકટ પરિવારમાં શુભલગ્નઃ ચિ. દેવાંશી * ચિ. કરણ

જુનાગઢઃ શ્રી રાજશ્યામજી તથા શ્રીનાથજી બાવાની અસીમ કૃપાથી જૂનાગઢથી પ્રસિદ્ઘ થતાં અખબાર શરુઆત દૈનિકના તંત્રી અલ્પાબેન મનોજભાઈ ઉનડકટની સુપુત્રી ચિ. દેવાંક્ષીના શુભ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે.

ભરુચના જે.કે. જવેલર્સના શ્રીમતી રુપાબહેન ચોકસી અને સ્વ. દીપકભાઈ રમેશચંદ્ર ચોકસીના સુપુત્ર ચિ. કરણ સાથે ચિ. દેવાંક્ષી લગ્નની સપ્તપદી ફરશે.

તા. ૧લી ફેબ્રુઆરી, શુક્રવારના રોજ સવારે ૮:૦૦ કલાકે ગણેશ પૂજન, સવારે ૮:૩૦ કલાકે મંડપ મુહુર્ત, તેમજ સવારે ૮:૪પ કલાકે ગૃહશાંતિ તેમજ આ શુભ લગ્ન પ્રસંગે અલ્પાબહેન તથા સ્વ. મનોજભાઈ રસિકલાલ ઉનડકટના સુપુત્ર અને ચિ. દેવાંક્ષીના નાના ભાઈ ચિ. જીતના યજ્ઞોપવિતનો શુભપ્રસંગ સવારે ૧૦:૪પ કલાકે પણ ઉજવાશે. તથા સવારે ૧૧:૪પ કલાકે કાશીયાત્રા, અને બપોરે ૧રઃ૩૦ કલાકે ભોજન સમારંભનું આયોજન કરાયુ છે. અને સાંજે ૭:૩૦ કલાકે જાન આગમન થશે અને રાત્રે ૯:૪પ કલાકે હસ્ત મેળાપનું આયોજન કરાયુ છે. સમગ્ર કાર્યક્રમ પ્રેસીડેન્ટ હોલ રેલ્વે સ્ટેશન રોડ, જૂનાગઢ ખાતે યોજાશે.

આ પ્રસંગે પધારવા આમંત્રિતોને નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.

(3:22 pm IST)