Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

KCL પરિવારના આંગણે શુભલગ્નોત્સવઃ સંજયસિંહ (બન્ટીભાઇ) નાં દિકરીબાના શુભલગ્ન : ચિ.શ્રૃતિબા - ચિ.દેવસિંહજી

રાજકોટ : રાજયની પ્રથમ હરોળની કન્સ્ટ્રકશન કંપની કેતન કન્સ્ટ્રકશન લી. (કેસીએલ) પરિવારના સ્વ. શ્રી અમરસિંહજી જીવાજી બારડના સુપુત્ર શ્રી સંજયસિંહ બારડ તથા શ્રીમતી રૂપાબા બારડના કુંવરીબા ચિ. શ્રૃતિબાના શુભલગ્ન શ્રી અમરસિંહજી સોલંકી તથા શ્રીમતી શોભનાબાના કુંવર ચિ. દેવસિંહજી સાથે તા. ૧૧ ફેબ્રુઆરીના મંગળવારના રોજ નિરધારેલ છે. મંગળવાર તા. ૧૧ ના સાંજે પ વાગ્યે કાલાવડ રોડ પરના નીરાલી રીસોર્ટ (ગાર્ડનીયા) ખાતે બારાત સ્વાગત થશે. સાંજે ૬.૩૦ વાગ્યે હસ્ત મેળાપ અને સાંજે ૭.૩૦ વાગ્યે ભોજન સમારોહ રાખેલ છે. વિજયસિંહ બારડ, રમેશસિંહજી બારડ, સ્વ. હરીસિંહજી બારડ, પરેશસિંહજી બારડ, અમિતસિંહજી વિજયસિંહજી બારડ, પ્રિયજીતસિંહ હરીસિંહજી બારડ તથા સમસ્ત બારડ પરિવારે સગા સંબંધિઓ, મિત્રોને ભાવભર્યુ નિમંત્રણ પાઠવેલ છે.

(11:42 am IST)