Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

જામનગરના પૂર્વ મેયર સનતભાઈ મહેતાની સુપુત્રીના શુભલગ્ન : ચિ.ખુશ્બુ - ચિ.યશ

રાજકોટ : જામનગર મહાનગરપાલિકાના પૂર્વ મેયર, ગુજરાત હાઉસીંગ બોર્ડના પૂર્વ ડિરેકટર, આઈડીસીના પૂર્વ ડાયરેકટર તેમજ જૈન સમાજના અગ્રણી એવા શ્રી સનતભાઈ મહેતા અને શ્રીમતી રેખાબેનના સુપુત્રી ચિ.ખુશ્બુના શુભલગ્ન રાજકોટ નિવાસી શ્રીમતી આશાબેન અને શ્રી લક્ષ્મીદાસભાઈ સુરેજાના સુપુત્ર ચિ. યશ સાથે તા.૩૦ જાન્યુઆરીના ગુરૂવારે જામનગર મુકામે નિરધારેલ છે. આ પ્રસંગે ૨૮મીના મંગળવારે સાંજે ૬:૩૦ થી મહેંદી રસમ તેમજ તા.૨૯ના બુધવારે સાંજે ૭ વાગ્યાથી સંગીત સંધ્યા રાખેલ છે. આ પ્રસંગે ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓ, સામાજીક - રાજકીય અગ્રણીઓ, સંતો - મહંતો સહિતના મહાનુભાવો નવદંપતિને આર્શીવાદ આપવા પધારશે. સમગ્ર મહેતા પરીવારમાં પ્રસંગને અને મહેમાનોને વધાવવા ભારે ઉમંગ પ્રવર્તી રહ્યો છે. (મો.૯૮૨૪૨ ૨૧૦૧૦)

(1:09 pm IST)