Gujarati News

Gujarati News

News of Wednesday, 25th April 2018

કંકોત્રીરૂપે ચકલીના માળાનું વિતરણ : રાજકોટના મોરડ પરિવારનું પ્રેરક કદમ ચિ. નિરલ - ચિ. ગૌતમ

રાજકોટ નિવાસી અ.સૌ. મનીષાબેન તથા શ્રી મનસુખભાઇ ખીમજીભાઇ મોરડની સુપુત્રી ચિ. નિરલ ના શુભલગ્ન રાજકોટ નિવાસી અ.સૌ. હંસાબેન તથા શ્રી વિનુભાઇ ભગવાનજીભાઇ શીંગાળાના સુપુત્ર ચિ. ગૌતમ સાથે તા. ૨૭ ના શુક્રવારે નિરધારેલ છે. આ અવસરને કંકોત્રીના ખોટા ખર્ચા કરવાને બદલે પુઠાના ચકલીના માળા તૈયાર કરાવ્યા. તેના પર જ કંકોત્રીની વિગતો છપાવી સગા સ્નેહીઓને નિમંત્રણનારૂપમાં વિતરણ કરી પ્રેરક ઉદાહરણ પુરૂ પાડેલ છે.

(4:19 pm IST)