Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2024

સાવરકુંડલાના ‘અકિલા'ના પત્રકાર દિપકભાઇ પાંધીની સુપુત્રીના શુભલગ્ન

ચિ.ડો.અમી :ચિ.ચિંતન

સાવરકુંડલાઃ પીઢ પત્રકાર સ્‍વ.નંદલાલભાઈ પાંધીની પૌત્રી અને અ.સૌ. અરૂણાબેન તથા દીપકભાઈ નંદલાલભાઈ પાંધીની લાડકવાઈ સુપુત્રી ચિ.ડૉ. અમીના શુભ લગ્ન રાજકોટ નિવાસી અ.સૌ.શ્રી જાગળતીબેન તથા શ્રી સુરેન્‍દ્રભાઈ ભીખાલાલભાઈ માનસેતાના લાડકવાયા સુપુત્ર ચી. ચિંતન સાથે તા.૨૬/૨ /૨૦૨૪ ને સોમવારના રોજ સાવરકુંડલા લોહાણા મહાજન વાડી ખાતે સગા, સ્‍નેહીજનોની વિશાળ હાજરીમાં નિર્ધાયા છે. તા.૨૫/૨/ના રવિવારના સાંજે ૪થી ૬ સાંજીના ગીત, ૬/૩૦ કલાકે મંડપ મુહૂર્ત અને રાત્રે ૯ કલાકે દાંડીયારાસના કાર્યક્રમો યોજાયા છે જ્‍યારે સોમવારના રોજ લગ્ન સમારંભ યોજાશે સમગ્ર પ્રસંગમાં પાંધી પરિવારના આમંત્રણને માન આપીને સંતો, મહંતો,રાજકીય, સામાજિક આગેવાનો હાજર રહી પ્રભુતામાં પગલા પાડતા નવદંપતીને શુભ આશીર્વાદ પાઠવશે.

(2:43 pm IST)