Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

જુનાગઢના અકિલાના પત્રકાર સ્વ. સૂર્યકાંતભાઇ જોષીની સુપુત્રીના શુભ લગ્નઃ ચિ.રૂષિતા : ચિ.મહેશ

ચિ.અભિષેકની ઉપનયન સંસ્કાર વિધિ

રાજકોટઃ જુનાગઢના અકિલા દૈનિકના પત્રકાર સ્વ. સુર્યકાંતભાઇ શિવલાલભાઇ જોષી અને ગિરાબેન સુર્યકાંતભાઇ જોષીના સુપુત્ર અને અકિલાના જુનાગઢના બ્યુરો ચીફ શ્રી વિનુભાઇ જોષી (વિનયકાંતભાઇ શીવલાલભાઇ જોષી)ના ભત્રીજા ચિ. અભિષેકની યજ્ઞોપવિત વિધિ તા.ર૦ને બુધવારે તથા સુપુત્રી ચિ. અને ભત્રીજી ચિ. રૂષીતાના શુભલગ્ન તા. ર૧ને ગુરૂવારે નિરધારેલ છે.

શુભલગ્ન અને યજ્ઞોપવિત સંસ્કારના માંગલીક અવસરો તા.ર૦-૧૧-૧૯ને બુધવારે સવારે ૮.૧પ વાગ્યે ગણપતિજી સ્થાપન સાથે થશે અને ગૃહ શાંતિ-યજ્ઞોપવિત વિધિનો પ્રારંભ થશે

સવારે ૯.૧પ વાગ્યે ઉપનયન સંસ્કાર, બપોરે ૧ર.૩૦ વાગ્યે મામેરૂ, બપોરે ૧ વાગ્યે સ્વરૂચી ભોજન, બપોરે ૩ વાગ્યે કાશીયાત્રા તથા રાત્રીના ૯ વાગ્યે રાસ-ગરબાની રમઝટ બોલશે.

માંગલ્ય પાર્ટી પ્લોટ, હોટલ ગાર્ડન કાફેની બાજુમાં, ગિરનાર દરવાજા પાસે, જુનાગઢ ખાતે તા.ર૧ને ગુરૂવારે સાંજે ૪.૩૦ વાગ્યે જાનનું આગમન થશે અને સ્વ. સુયકાંતભાઇ શિવલાલભાઇ જોષી અને ગિરાબેન સુર્યકાન્તભાઇ જોષીના સુપુત્રી ચિ. રૂષીતાના શુભલગ્ન મુળ બાઢડા  હાલ જાફરાબાદ નિવાસી શ્રી ઘનશ્યામભાઇ અંબાશંકરભાઇ જોષી અને અ.સૌ. શીલાબેન ઘનશ્યામભાઇ જોષીના સુપુત્ર ચિ. મહેશ સાથે નિરધારેલ છે. હસ્તમેળાપ સાંજે ૭.૧પ વાગ્યે અને રાત્રે ૮ વાગ્યે ભોજન સમારંભ યોજાશે.

બહારગામથી આવતા મહેમાનો માટે સ્વામિનારાયણ મંદિર, જવાહર રોડ, જુનાગઢ ખાતે ઉતારાની વ્યવસ્થા રાખેલ છે.

સ્વ.શિવલાલભાઇ કરશનભાઇ જોષી, સ્વ.સુર્યકાંતભાઇ શિવલાલભાઇ જોષીએ શુભલગ્ન માટે અંતરીક્ષમાંથી આશીર્વાદ પાઠવ્યા છે.

ગં.સ્વ.વિજયાબેન શિવલાલભાઇ જોષી, પરસોતમભાઇ કરશનભાઇ જોષી, શ્રીમતી મુકતાબેન પરસોતમભાઇ જોષી, ગિરાબેન સુર્યકાંતભાઇ જોષી, અકિલાના પત્રકાર-બ્યુરો ચિફ વિનયકાંતભાઇ (વિનુભાઇ) શિવલાલભાઇ જોષી, શ્રીમતી મીતાબેન વિનયકાંતભાઇ જોષી, હરેશભાઇ પરસોતમભાઇ જોષી, શ્રીમતી ઉર્મીલાબેન હરેશભાઇ જોષી, વિરેન્દ્રભાઇ પરસોતમભાઇ જોષી, શ્રીમતી પ્રાર્થનાબેન વિરેન્દ્રભાઇ જોષી, દિનેશભાઇ શિવરામભાઇ તેરૈયા, શ્રીમતી મધુબેન દિનેશભાઇ તેરૈયા, કલીતભાઇ દિનેશભાઇ તેરૈયા, શ્રીમતી અવંતીકાબેન કલીતભાઇ તેરૈયા, મોસાળ પક્ષ જગદીશચંદ્ર ડી.જોષી, મહેન્દ્રભાઇ ડી.જોષી, અ.સૌ.આશાબેન એમ.જોષી, ઉષાબેન યુ. અધ્વર્યુ, ડો.નિખીલકુમાર એસ.નાયક, અસૌ.તિતિક્ષાબેન એન.નાયક, ડો.રૂત્વીજ એન.નાયક, અ.સૌ.નીકીતા આર.નાયક, ચિ. મૃગાંક એન.નાયક પરીવાર મહેમાનોને મીઠો આવકાર આપશે.

અકિલા પરિવારના શ્રી કિરીટભાઇ ગણાત્રા, શ્રી અજીતભાઇ ગણાત્રા, શ્રી રાજેશભાઇ ગણાત્રા, શ્રી નિમીષભાઇ ગણાત્રા અને સમસ્ત અકિલા પરિવારે જોષી પરિવારની લાડલી દિકરીને અને ચિ. અભિષેકને હૃદયથી શુભેચ્છા પાઠવી. સૂર્યકાંત જોષીની દીર્ઘકાલીન સેવાઓ, ઉમદા પત્રકારિત્વને બિરદાવેલ છે.

આમંત્રીતોને શુભલગ્ન અને યજ્ઞોપવિત સંસ્કાર વિધિમાં ઉપસ્થિત રહેવા ગિરાબેન સુર્યકાન્તભાઇ જોષી, શ્રી વિનયકાંતભાઇ શિવલાલભાઇ જોષી (વિનુભાઇ જોષી-અકિલા-બ્યુરો ચીફ જુનાગઢ)શ્રીમતી મિતાબેન વિનયકાંતભાઇ જોષી, ચિ. વિરલ વિનયકાંતભાઇ જોષી, ચિ. અભિષેક સુર્યકાન્તભાઇ જોષી તથા મૈત્રેય, સ્વરા, રીવા અને જોષી પરીવારે આમંત્રણ પાઠવ્યું છે.

(11:32 am IST)