Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

રાજકોટના ઇન્દ્રવદનભાઇ ત્રિવેદીની સુપુત્રીના શુભલગ્નઃ કંકોત્રી સંસ્કૃત ભાષામાં

ચિ.ભાગ્યશ્રી - ચિ.જયદીપ

ભાવનગરઃ સંસ્કૃતથી જ સંસ્કૃતિ બચી શકશે એવું દ્રઢ પણે માનનારા રાજકોટના ઇન્દ્રવદનભાઇ શાંતુભાઇ ત્રીવેદીએ દીકરીના લગ્નની કંકોત્રી સંસ્કૃત ભાષામાં છાપી સંસ્કૃત પ્રત્યેનો અનોખો આત્મીય ભાવ વ્યકત કરી બ્રહ્મસમાજને પ્રેરણા બક્ષી છે.

રાજકોટના ઇન્દ્રવદનભાઇ શાંતુભાઇ ત્રીવેદી અને અ.સૌ. જયશ્રી દેવીની સુપુત્રી ચિ.ભાગ્યશ્રીના શુભલગ્ન દીનકરરાય એચ.ભટ્ટ અને અ.સૌ ઇન્દુદેવીના સુપુત્ર ચિ. જયદીપ સાથે તા.૧૪/ર/ર૦ર૦ શુક્રવારના સત્યવિજય પટેલ ભોજનશાળા કનકરોડ રાજકોટ ખાતે નિરધારેલ છે. તા.૧૩/૨/૨૦૨૦ ગુરૂવાર સવારે ૧૦.૩૦ કલાકે માલા મંડપ રોપણ આજ દીન રાત્રે ૮.૦૦ કલાકે સુવિખ્યાત કલાકારોના સથવારે રાસોત્સવ રાખવામાં આવેલ છે.

(11:20 am IST)