Gujarati News

Gujarati News

News of Thursday, 6th February 2020

'અકિલા'ના પત્રકાર અને જાણીતા ધારાશાસ્ત્રી રાજેન્દ્રસિંહ ઝાલાની સુપુત્રીના શુભલગ્ન

સૌ.કાં.ચિ.માનસ્વીબા - ચિ.હરદીપસિંહજી

રાજકોટ : અકિલાના માનદ સિનિયર પત્રકાર અને જાણીતા ધારાશાસ્ત્રી શ્રી રાજેન્દ્રસિંહ હેમુભા ઝાલાના કુંવરીબા સૌ.કાં.ચિ.માનસ્વીબા પીયરને પારકુ ગણી માતાનો મમતાનો મિંઢોળ બાંધી, પિતાશ્રીના માયાના માંડવા નિચે શુકનવંતા કંગન પહેરી, કાકા- કાકીના ભાવભરી મહેંદી મુકી, ભાઈ- બહેનોના સ્નેહની ગાંઠ બાંધી, મામા- મામીઓના પ્રેમનું પાનેતર પહેરી, ફઈબા તથા ફુવાસાહેબના આશિર્વાદ લઈ સાસરે સીધાવશે. પરિણય બંધનથી સંસાર સાગરની પુનિત સંસ્કારનો પ્રથમ ચરણ માંડી રહ્યા છે. તેઓના શુભલગ્ન મુળ ગામ બેલા (મોરબી) હાલ કચ્છ (પાંન્ધ્રો) નિવાસી શ્રી કિશનસિંહજી ધિરજસિંહજી જાડેજાના કુંવરશ્રી ચિ.હરદિપસિંહજી સાથે તા.૯ના રવિવારના શુભદીને રાજકોટ ખાતે નિરધારેલ છે. ભોજન સમારંભ તા.૮ના શનિવારે રાખેલ છે.(શ્રી રાજભા ઝાલા મો.૯૮૨૪૩ ૭૬૩૯૯)

(11:26 am IST)