Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

ગોંડલ પી.આર. જાડેજાના પરિવારમાં શુભલગ્નઃ ચિ.જયરાજસિંહ - સૌ.કાં.ચિ. ભુમેશ્વરીબા

ગોંડલઃ શ્રી પ્રભાતસિંહજી રાયસિંહજી જાડેજા (પી.આર.જાડેજા) ના ભત્રીજા શ્રી ગિરીરાજસિંહજી છત્રસિંહજી જાડેજાના પુત્ર તથા શ્રી રઘુરાજસિંહજી છત્રસિંહજી જાડેજાના ભત્રીજા તથા ગોંડલ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ઓમદેવસિંહ પ્રભાતસિંહજી જાડેજાના ભત્રીજા ચિ. જયરાજસિંહજીના શુભ લગ્ન ધોલેરા નિવાસી શ્રી છત્રપાલસિંહજી મુળુભા ચુડાસમાના કુંવરીબા શ્રી સૌ.કાં.ચિ. ભુમેશ્વરીબા સાથે તા. ૮ ને શુક્રવારે રાત્રે ૯ કલાકે શ્રી રાજપૂત સમાજની વાડી યુનિટ-૧ લાલપુલ પાસે ગોંડલ મુકામે નિરધારેલ છે. ત્યારે નવદંપતિઓને આર્શિવાદ આપવા આમંત્રિતોને જાડેજા પરિવારે ભાવભર્યું આમંત્રણ પાઠવેલ છે.(૧.૭)

(11:26 am IST)