Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

ધ્રાંગધ્રામાં પ્રદેશ ભાજપનાં પૂર્વ મંત્રી આઈ.કે. જાડેજાના સુપુત્રનાં શુભલગ્ન

વઢવાણઃ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા મત વિસ્તારના પૂર્વ શહેરી વિકાસ મંત્રી અને કાર્યવાહક અધ્યક્ષ, સ્વર્ણિમ ગુજરાત, ગુજરાત સરકારના ઉપાધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મંત્રી આઈ.કે. જાડેજાનાં સુપુત્ર ચિ. અજયરાજસિંહના શુભલગ્ન શ્રીમતી પૂજાબા તેમજ ઋતુરાજસિંહજી ઝાલાના સુપુત્રી ચિ. મેઘાબા સાથે આજે નિરધાર્યા છે.

ધ્રાંગધ્રા ખાતે જનતા જીન ખાતે ધ્રાંગધ્રા-સુરેન્દ્રનગર રોડ ખાતે આવેલી આ જગ્યા ખાતે ચિ. અજયરાજસિંહ અને ચિ. મેઘાબાનો સત્કાર સમારંભ યોજાશે. સાંજના ૭ કલાકે લગ્ન અવસરને દિપાવવા માટે ગુજરાત ભાજપના મંત્રી મંડળ, ધારાસભ્યો, સગા સ્નેહીજનો, ભાજપના હોદેદારો ઉપસ્થિત રહેશે.

 

(10:25 am IST)