Gujarati News

Gujarati News

News of Thursday, 31st December 2020

ઠંડીથી ધારીમાં અજાણ્યા સાધુનુ મોત

લોકો ઠાકરદાસબાપુ તરીકે બોલાવતાઃ વાલી વારસની શોધખોળ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૩૧ : ધારીમાં એક અજાણ્યા સાધુનુ ઠંડીથી મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.

ધારીમાં અયુબખાન મહંમદખાન દુરાનીએ ધારી પોલીસમાં જાહેરાત આપેલ કે જુના બસ સ્ટેન્ડ ખાતે છેલ્લા બે ત્રણ દિવસથી એક સાધુ આવેલ હોય જેમને ઠાકરદાસબાપુ તરીકે લોકો બોલાવતા હતા તેમનું ઠંડી લાગવાના કારણે ધારી સરકારી દવાખાને લઇ જતા મૃત્યુ થયેલ છે.

અને તપાસ કરતા આ લાશ વણ ઓળખાયેલ પુરૂષની લાશ આશરે ૭પ વર્ષની ઉમર જેણે શરીર ઉપર સફેદ કલરની બંડી માથે જરસી તથા નીચે ધોતી પહેરેલ છે અને તેના વાલી વારસ મળી આવેલ નથી જો આ લાશને કોઇ ઓળખ કે વાલીવારસ હોય તોધારી પોલીસ સ્ટેશન ૦ર૭૯૭ર રપ૦૩૩ નો સંપર્ક સાધવા પીએસઆઇ એચ.જી.ગોહિલે જણાવેલ છે

(12:53 pm IST)