Gujarati News

Gujarati News

News of Thursday, 31st December 2020

જામનગરમાં વિદેશથી આવેલા ૨૪ પ્રવાસીઓ હોમ કોરન્ટાઇનઃ કોરોના રીપોર્ટ નેગેટીવ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૩૧: જામનગરમાં વિદેશથી આવેલા ૨૪ પ્રવાસીઓનાં કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે અને તમામને હોમકોરન્ટાઇન કરાયા છે. જામનગરમાં બ્રિટન સહિત અન્ય દેશોમાંથી ૨૪ જેટલા લોકો આવ્યા હતા. રાજય સરકાર દ્વારા આ અંગે જામનગર મહાનગરપાલિકાને યાદી આપવામાં આવી હતી.

જેથી જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમે આ તમામ ૨૪ એન.આર.આઇ લોકોનું કોરોના પરીક્ષણ કરાવી આગળની આઇસોલેશન સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

તમામ ૨૪ એન.આર.આઇ નાગરિકોના કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્યા બાદ હાલ જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા બધા એન.આર.આઇઓને જામનગરમાં અલગ અલગ જગ્યાએ હોમ કવોરેન્ટાઇન કરી આપ્યા છે.

(12:51 pm IST)