Gujarati News

Gujarati News

News of Thursday, 31st December 2020

સાવરકુંડલા મામલતદાર ઓફિસમાં સ્ટાફની જગ્યા પૂરવા માંગ : કલેકટરને રજૂઆત

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા.૩૧ : મામલતદાર કચેરીમાં હાલમાં નાયબ મામલતદારશ્રીની કુલ પાંચ જગ્યાઓ ખાલી છે. જેમાં સર્કલ અફિસરની કુલ ૩ તથા નાયબ મામલતદાર પુરવઠા શાખા તથા નાયબ મામલતદાર ઇ ધરા શાખા એમ કુલ પાંચ જગ્યાઓ ખાલી છે. તદઉપરાંત આ કચેરીમાં કલાર્કની પાંચ જગ્યાઓ ખાલી છે. વહીવટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સાવરકુંડલા તાલુકો મોટો હોય અરજદારોને હાલાકી ભોગવવી પડે છે. મામલતદાર કચેરી સાવરકુંડલામાં સ્ટાફના અભાવે કામગીરીનો ભરાવો થાય છે. આ નાયબ મામલતદારશ્રી અને કલાર્કની ખાલી જગ્યાઓ ભરવા ભાજપના ઉપપ્રમુખ રામદેવસિંહ ગોહિલે કલેકટરને રજૂઆત કરી છે. (તસ્વીર : ઇકબાલ ગોરી, સાવરકુંડલા)

(11:20 am IST)