Gujarati News

Gujarati News

News of Monday, 31st December 2018

જામનગરના સમણા રોડ પર નારણપુર પાસે ખાનગી બસ પલ્ટી ખાઈ જતા 10 મુસાફરોને ઇજા :ત્રણ ગંભીર

પ્રવાસીઓ નારાણપુર પાસે સ્વાધ્યાય પરિવારના રુક્ષ મંદિરે જઈ રહ્યા હતા

જામનગરના સમણા રોડ પર નારણપુર પાસે ખાનગી બસ પટલી મારી જતા અકસ્માતમાં 10 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.જેમાં 3 મુસાફરોની હાલત ગંભીર જણાઈ રહી છે.

 જાણવા મળ્યા મુજબ જામનગરના રામેશ્વર વિસ્તારના પ્રવાસીઓ બસમાં હતા. જેઓ નારાણપુર પાસે સ્વાધ્યાય પરિવારના રુક્ષ મંદિરે જઈ રહ્યા હતા ઘટનાને પગલે બસ ચાલક બસ મૂકી ફરાર થઈ ગયો હતો પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથધરી છે.

(9:28 pm IST)