Gujarati News

Gujarati News

News of Monday, 31st December 2018

જુનાગઢ ઉપલા દાતારની જગ્યામાં વિઠ્ઠલબાપુના સમાધિ સ્થળે ધુળલોટ ભંડારોઃ

જુનાગઢઃ ઉપલાદાતારની જગ્યાના બ્રહ્મલિન મહંત શ્રી વિઠ્ઠલબાપુના સમાધિ સ્થળે ધુળ લોટના પ્રસંગે ભંડારામાં ગિરનાર મંડળના વરિષ્ઠ સંતો અને સેવક સમુદાયની વિશાળ ઉપસ્થિતી યોજાયો હતો જેમાં ઉપરોકત તસ્વીરમાં સમાધિએ ભાવવેદના કરતા નયનિયુકત મહંત પુ ભીમબાપુ સાથે કિશોરબાપુ મુન્નાબાપુ બટુકબાપુ અને સેવકસમુદાય તેમજ મહામંડલેશ્વર પુ.ભારતીબાપુ શેરનાથબાપુ શૈલજાદેવી મહાદેવ ભારતી મહાદેવગીરી તેમજ ધારાસભ્ય ભીખાભાઇ જોષી ભંડારામાં પ્રસાદ લેતા સાધુ સંતોને ભેટ પુજા અર્પણ કરતા પુ.ભીમબાપુ આ પ્રસંગે પુ. વિઠ્ઠલબાપુએ જગ્યાના વિકાસની કેડી કંડારેલી છે તે મુજબ જગ્યામાં અવિરત પણ સેવાની જયોત સતત પ્રજવલિત રહે તેવા સંતોએ શુભ આશિષ પાઠવ્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય ભીખાભાઇ જોષી શહેર કોંગ્રેસ પ્રમુખ વિનુભાઇ અમીપરા યોગીભાઇ પઢીયાર જયોતિબેન વાછાણી રાજુ રાઠોડ સુરેશભાઇ બજાણીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા (અહેવાલ વિનુ જોષી તસ્વીર મુકેશ વાઘેલા જુનાગઢ)(૭.૨૧)

(3:52 pm IST)