Gujarati News

Gujarati News

News of Monday, 31st December 2018

ભાવનગર પાસે અકસ્માતમાં દંપતિનું મોત

ભાવનગર તા.૩૧: ભાવનગર નજીક બાઇક અને આઇસર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં પતિ-પત્નીનાં ઘટના સ્થળે જ મોત નિપજયા હતા.

મળતી વિગત મુજબ ભાવનગરનાં ત્રાપજગામે રહેતાં ઉસ્માનભાઇ આદમભાઇ ચોકીયા (ઉ.વ.૪૫) અને તેનાં પત્ની ઝરીનાબેન ઉસ્માનભાઇ ઉ.વ.૪૦ બાઇક ઉપર વેળાવદર પાસેથી પસાર થતાં હતા ત્યારે તેનું બાઇક આઇસર સાથે ધડાકાભેર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં પતિ-પત્નીને ગંભીર ઇજા થતાં ઘટનાસ્થળે જ બંન્નેનાં કરૂણમોત નિપજયાં હતા. બનાવની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. અને તપાસ હાથ ધરી હતી. આ બનાવથી ત્રાજપર ગામમાં ગમગીની ફેલાઇ ગઇ હતી.(૧.૧૧)

 

(12:28 pm IST)