Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

મોરબી જીલ્લામાં અપમૃત્યુના ત્રણ બનાવ

બગથળાના કિશોરભાઇ થરેશાનુ દાઝી જતા અને ટંકારાના સાવડીના ધ્રુવ ભરવાડ (ઉ.વ.૦૮)નું ડુબી જતા મોતઃ કુંભારીયા ગામે બચુબેન પંચાસરાનો સળગી જઇ આપઘાત

મોરબી, તા.૩૧: મોરબી જીલ્લામાં અપમૃત્યુના ત્રણ બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે.

પ્રથમ બનાવમાં મોરબીના બગથાળા ગામના રહેવાસી કિશોરભમાઇ ભવાનભાઇ થરેસા (ઉ.વ.૩૦) નામના યેવાન પ્રાઇમસ પર ચા બનાવતી વેળાએ ભડકો થતા શરીરે દાઝી જતા સારવાર માટે મોરબી બાદ રાજકોટ ખસેડાયા હતા જયાં સારવાર દરમિયાન મોત થયું છે જયારે બીજા બનાવમાં ટંકારાના સાવડી ગામે રહેતા ધ્રુવ જગદીશભાઇ ભરવાડ (ઉ.વ.૦૮) નામનું બાળક ગામના તળાવમાં ન્હાવા જતા ડૂબી જતા મોત થયું છે પોલીસે નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

ત્રીજા બનાવમાં માળિયાના કુંભારિયા ગામના રહેવાસી બચુબેન ચંદુભાઇ પંચાસરા (ઉ.વ.૫૨) નામની મહિલાને બે વર્ષથી જમણા પગના ઘૂંટણમાં દુઃખાવો હોય જેનું ઓપરેશન કરવા છતાં પણ પાછળથી બંને પગમાં દુઃખાવો હોય જે સહન નહિ થતા આખા શરીરે કેરોસીન છાંટી દીવાસળી ચાંપી સળગી જતા સારવાર દરમિયાન મોત થયું છે. પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

(1:14 pm IST)