Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

ધારીના દલખાણીયામાં જનાવર કરડતાં વૃધ્ધા શાંતુબેનનું મોત

દેવીપૂજક વૃધ્ધાએ રાજકોટ હોસ્પિટલમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૩૧: ધારીના દલખાણીયા ગામે લાલજીભાઇ વૈષ્ણવની વાડીમાં પરિવારજનો સાથે રહેતાં શાંતુબેન બચુભાઇ ચારોલા (ઉ.૭૦) નામના દેવીપૂજક વૃધ્ધાને તા. ૨૯ના સાંજે ચારેક વાગ્યે વાડીએ હતાં ત્યારે કોઇ સાપ કે અન્ય જનાવર કરડી જતાં ઝેરી અસર થતાં અમરેલી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ગત મોડી રાતે દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનારને સંતાનમાં ત્રણ પુત્ર અને એક પુત્રી છે. પુત્રોએ લાલજીભાઇની વાડી વાવવા રાખી હોઇ પોતે પણ આ વાડીમાં રહેતાં હતાં.

(11:41 am IST)