Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

ગીર સોમનાથ કલેકટર અજય પ્રકાશ આકરાપાણીએ : જિલ્લાની ગોવિંદપરા જંગલ કામદાર સહકારી મંડળીને અધધધ રૂ. ૫૭.૬૦ કરોડનો અનઅધિકૃત ખનીજચોરી બદલ દંડ ફટકાર્યો : ૩૦ દિવસમાં દંડ ભરી દેવા કરાયો આદેશ

વેરાવળ, તા. ૩૧ :. ગીર સોમનાથ જિલ્લા કલેકટર દ્વારા રૂ. ૫૭.૬૦ કરોડની ખનીજ ચોરીનો દંડ ફટકારવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ ગીર સોમનાથ જિલ્લા કલેકટર દ્વારા ગોવિંદપરા જંગલ કામદાર સહકારી મંડળીના સંચાલક રાયસિંહ બારડ દ્વારા મંજુર થયેલ લીઝના બદલે અન્ય અનઅધિકૃત સ્થળેથી ખનીજની ચોરી થતી હોવાનું ખુલ્યુ હતું.

જેથી કલેકટરશ્રી અને ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવ્યા બાદ ગોવિંદપરા જંગલ કામદાર સહકારી મંડળીના સંચાલક રાયસિંહ બારડને રૂ. ૫૭,૬૦,૫૭,૮૩૮નો દંડ ફટકારવામાં આવ્યો છે.(

(5:29 pm IST)