Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

જામનગરમાં દેવભુમિ દ્વારકા જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના ઘરમા આગથી ૩૦ લાખનુ નુકશાન

જામનગર તા.૩૧: જામનગરમાં આવેલા દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના પૂર્વ  પ્રમુખના ઘરે મોડી રાત્રે લાગેલી આગમાં ૨૫ થી ૩૦ લાખનું નુકશાન થયુ છે.

જામનગર શહેરના જયંત સોસાયટી વિસ્તારમાં રહેતા દેવભૂમિ દ્વારકાના જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ મિતલબેન ગોરીયાના રહેણાક મકાનમાં મોડી રાત્રે આગ ભભૂકી ઉઠી હતી. બે માળના મકાનમાં અચાનક જ આગ ભભૂકી ઉઠતા ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બિગેડનો સ્ટાફ તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ત્રણ ગાડીનો પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ આ આગ શોર્ટસર્કિટથી લાગી હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે.

આગજનીની આ ઘટનામાં ઘરની ઘરવખરી તેમજ ફર્નિચર બળીને ખાખ થઇ જતા આશરે ૨૫ થી ૩૦ લાખની નુકસાન થયાનો અંદાજ લગાવાઇ રહ્યો છે. (તસ્વીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

(3:42 pm IST)