Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

સોમનાથમાં શ્રાવણ મહિનામાં વિશ્વ પ્રસિધ્ધ સંતો-કથાકારોનો સત્સંગઃ ધાર્મિક કાર્યક્રમો-હરિફાઇ

વેરાવળ તા. ૩૧: સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં સોમનાથ ટ્રસ્ટના સહકારથી ગીર સોમનાથ મીડીયા સેન્ટર આયોજીત શ્રાવણ માસ દરમ્યાન વિશ્વપ્રસિધ્ધ સંતો અને કથાકારો દ્વારા સત્સંગનો તેમજ અનેક ધાર્મિક કાર્યક્રમો તેમજ હરીફાઇઓ યોજાયેલ છે.

સોમનાથ ટ્રસ્ટના સહયોગથી ગીર સોમનાથ મીડીયા સેન્ટર દીપક કકકડ આયોજીત તેમજ સહઆયોજન ગીર સોમનાથ જીલ્લા બહ્મ સમાજના તેમજ કેટરીંગ એસો.ના પ્રમુખ મીલનભાઇ જોષી, વાલ્મીકી સમાજના આગેવાન, પ્રવિણભાઇ ચૌહાણ, કોળી સમાજના આગેવાન રામભાઇ સોલંકી, લોહાણા સમાજના આગેવાન વિપુલભાઇ રાજા અને સંસ્થાઓ વ્યકતીઓના સહકારથી શ્રાવણ માસમાં વિશ્વપ્રસિધ્ધ સંતો, કથાકારોનો સત્સંગ અનેક ધાર્મિક કાર્યક્રમો નૃત્ય નાટીકા, ગીત, સંગીત, દાંડીયારાસ હરીફાઇના કાર્યક્રમો પથીક આશ્રમ ગ્રાઉન્ડ વોટર પ્રુફ ડોમમાં સંપુર્ણ વ્યવસ્થા સાથે યોજાયેલ છે. તેમાં તા. ૪/૮/૧૯ રવિવારે વોઇસ ઓફ સોમનાથ જેમાં સૌરાષ્ટ્ર ગુજરાતભરના કલાકારોની સ્પર્ધા, તા. ૧૦/૮/૧૯ રાવળદેવ જોગી દ્વારા ભકતીરસ ડાક, ડમરૂ, તા. ૧ર/૮ સોમવારે ભીખુભાઇ અખીયા શિવાબીટસ દ્વારા મંદિરમાં સાંજે ૭ વાગ્યે આરતી તા. ૧૪/૮ અને તા. ૧પ/૮ના રોજ વિશ્વ પ્રસિધ્ધ સંત સ્વામી નારાયણના સુરતના સતશ્રી દ્વારા સત્સંગ, તા. ૧૭/૮ ને શનિવારે પ્રાંસલાના ધર્મબંધુજી દ્વારા સત્સંગ તા. ૧૯/૮ ને સોમવારે પ. પુ. જીગ્નેશ દાદાનો સત્સંગ, તા. ર૧/૮ જન્માષ્ટમી ફેસ્ટીવલ જેમાં સૌરાષ્ટ્ર ગુજરાતભરના સ્કુલો, કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા નૃત્ય નાટીકાની હરીફાઇ, તા. ર૬/૮ અને ર૭/૮ ડો. મહાદેવપ્રસાદ મહેતાનો સત્સંગ, તા. ર૮/૮ કથાકારો મીરાબેન ભટ્ટ જુનાગઢવાળાનો સત્સંગ તેમજ શ્રાવણ માસના છેલ્લા દિવસે દાંડીયારાસ હરીફાઇ જેમાં સૌરાષ્ટ્ર ગુજરાતના દરેક ખેલૈયાઓ આ સ્પર્ધામાં જોડાય શકે છે.

આ તમામ સ્પર્ધાઓમાં જોડાવવા તથા કોઇપણ સત્સંગ અથવા કાર્યક્રમની માહીતી માટે મો. ૯રર૮૩ પ૬૬૧૩ નો સંપર્ક કરવો. શ્રાવણ માસમાં યોજાનાર આ તમામ કાર્યક્રમોમાં સૌરાષ્ટ્ર ગુજરાત ભરના તેમજ વિશ્વભરના યાત્રીકો તેમજ શિવભકતોને લાભ લેવા એક યાદીમાં જણાવેલ છે.

(3:41 pm IST)