Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

જુનાગઢમાં વરસાદને લઇને નદીઓ બે કાંઠે દામોદર કુંડ છલકાયો

જુનાગઢ  :  ગઇ કાલે જુનાગઢ શહેરમાં વરસેલા ૧ ઇંચ વરસાદ તેમજ ગિરનાર જંગલમાં ધોધમાર ૪ ઇંચ જેટલો વરસાદ વરસી જતા નદીનાળા બે કાંઠે પાણી પહેવા લાગ્યા હતા. એ વરસાદની તસ્વીર ઝલકમાં ગિરનારના વરસાદી વાતાવરણમાં દામોદર કુંડ છલકાયો હતો તે અને ખોડિયાર ધુનો ત્યાં વહેતા પાણીના ધોધ, તેમજ સોનરખ નદી અને કાળવાના પુલ નીચે બે કાંઠે વહેતુ પાણી નજરે પડે છે. નરસિંહ મહેતા સરોવરમાં પણ પાણીની આવક શરૂ થઇ ચુકી છે. (અહેવાલ વિનુ જોષી, તસ્વીર મુકેશ વાઘેલા જુનાગઢ)

(1:13 pm IST)