Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

મોરબી દશનામ ગોસ્વામી સમાજ દ્વારા આવેદન

મોરબી : શ્રી મોરબી દશનામ ગોસ્વામી સમાજ દ્વારા એસ.પી.હસ્તક ગૃહ મંત્રીને આવેદન પાઠવીને જણાવ્યું છે કે વાંકાનેર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જીતુભાઈ સોમાણીએ ડો. જયદીપ ગોસાઈ સાથે બોલાચાલી કરી માર મારી હુમલો કર્યો છે જેથી ગોસ્વામી સમાજની માંગ છે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે અને પ્રજા તો ઠીક પણ અધિકારી પણ સલામત નથી ડો. જયદીપ ગોસાઈને માર મારવાની દ્યટના સીસીટીવી કેમેરામાં પણ સ્પષ્ટત જોઈ સકાય છે જેથી દશનામ ગોસ્વામી સમાજ આ ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢ્યો છે અને સખ્ત કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદન આપ્યું તે તસ્વીર.

(11:51 am IST)