Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

કાંગશીયાળીના દિનેશ રાઠવાનું મનહરપુરમાં સાઢુના ઘરે મોત

આટો મારવા આવ્યો ને છાતીમાં દુઃખાવો ઉપડ્યો

રાજકોટ તા. ૩૧: તાલુકાના કાંગસીયાળીમાં રહી ખેત મજૂરી કરતો મુળ પાવી જેતપુર (વડોદરા)નો આદિવાસી યુવાન ગઇકાલે માધાપર ઇશ્વરીયા પોસ્ટ પાસે મનહરપુરમાં મનસુખભાઇની વાડીએ રહી મજૂરી કરતાં પોતાના સાઢુભાઇ સુરેશભાઇ બચુભાઇ રાઠવાને મળવા આવ્યો હતો. અહિ અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતાં અને બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. તે બે ભાઇ અને એક બહેનમાં મોટો હતો. સંતાનમાં બે પુત્ર છે. હોસ્પિટલ ચોકીના મહેન્દ્રભાઇ પરમાર તથા રાજદિપસિંહે જાણ કરતાં ગાંધીગ્રામ પોલીસે એ.ડી. નોંધી કાર્યવાહી કરી હતી.

(11:43 am IST)