Gujarati News

Gujarati News

News of Wednesday, 31st July 2019

ખાંભાના છેલ્લા 20 દિવસથી લાપતા વૃદ્ધાના ખેતરના જાડી જાખરામાંથી અવશેષો મળ્યા

સાડી અને બુટી પરથી ઓળખાયા :જંગલી જનાવરે ફાડી ખાધાની શંકા

ખાંભામાં ભગવતી પરા વિસ્તારમાં રહેતા વૃદ્ધ મહિલા ચંપાબહેન વલ્લભભાઈ ડોડીયા (ઉ.વ62) છેલ્લા વિસ દિવસથી ઘરેથી ગાયબ હતા તેમના પરિવાર દ્વારા આજુબાજુ વાડી – ખેતર, આસપાસના ગામ તેમજ તેમના સગા સબંધીને પૂછી શોધ ખોર ચાલુ કરી હતી તેમ છતાં ચંપાબેહનનો કોઈ પતો લાગ્યો અને પોલીસ ને પણ જાણ કરેલ હતી ત્યારે  ખાંભા – ડેડાણ રોડ પર તેમના ખેતર માંથી તેમના પુત્ર દલપતભાઈ ઘાસ લઇ રહ્યા હોય ત્યારે ખેતરમાં જ જારી જાખરા માણસના શરીર ના અવશેષો જોઈ જતા પોલીસ અને વન વિભાગ ને જાણ કરેલ હતી

   દલપતભાઈએ  વૃદ્ધ મહિલા ની સાડી અને બુટી પર થી ઓરખી ગયા હતા કે તેમના બા (માતા )જ છે એમના જ અવશેષો હતા બાદ વન વિભાગ અને ખાંભા પી એસ આઈ તુવેર સહિત નો સ્ટાફ ઘટના સ્થળ પર પોહચી ગયો હતો અને આગળ ની તપાસ હાથ ધરી હતી અને એફએસેલ ની ટિમ પણ બોલાવવા માં આવી હતી ત્યારે આ મહિલા વૃધ્ધ ને કોઈ જંગલી વન્ય પ્રાણી એ ફાડી ખાધા ની શંકા સેવાઇ રહી છે ત્યારે ખાંભા પોલીસ દ્વારા આ વૃદ્ધ મહિલાની દેડબોડી અને અવશેષો ભાવનગર ખાતે પી. એમ તેમજ એફએસેલ અર્થ મોકલવા માં આવ્યા ત્યારે બાદ મહિલા ના મોત નું કારણ બહાર આવશે નું પોલીસે જણાવ્યું હતું .

(8:44 pm IST)