Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

મોરબી સત્તવારા નવગામ જ્ઞાતિના નવા પ્રમુખની વરણી મામલે આગેવાનોમાં નારાજગીનો સૂર

મોરબી, તા.૩૧: મોરબી સતવારા નવગામ જ્ઞાતિ પ્રમુખ તરીકે ગોકળદાસ પરમાર વર્ષોથી જવાબદારી નિભાવી રહ્યા છે જોકે હાલ તેઓ જવાબદારી મુકત થઈને પદ છોડવાની તૈયારી કરતા હોય તેવી વાતો વચ્ચે જ તેમના એક નજીકના સગા પ્રમુખ બનવાની રેસમાં જામી ગયા છે સામાન્ય રીતે જ્ઞાતિ પ્રમુખની વરણી સંગઠન દ્વારા નક્કી કરવામાં આવે છે અને જાહેરમાં જ્ઞાતિની સભા બોલાવીને કરવામાં આવે છે પરંતુ જે મહાશયને પ્રમુખ બનવાની લાલચ જાગી છે તેમણે જ્ઞાતિના નીતિ નિયમોને નેવે મૂકી દીધા છે અને બંધબારણે સોગઠા ગોઠવી તેઓ પ્રમુખ બનવાની વેતરણમાં હોય તેવી વાતો જોરશોરથી જ્ઞાતિના આગેવાનોમાં ચાલી રહી છે

તો સતવારા સમાજના પ્રમુખનો વિવાદ બંધબારણે હોદો મેળવી લેવાથી શરુ થઈને સોશ્યલ મીડિયા સુધી પહોંચ્યો છે હાલ સોશ્યલ મીડિયામાં સતવારા સમાજના કેટલાક આગેવાનો મેસેજ વહેતા કર્યા છે જેમાં આવી ચેષ્ટાને અયોગ્ય ગણાવી હતી અને નવગામ સતવારા સંગઠનને વિશ્વાસમાં લઈને તેમજ નિયમો મુજબ પ્રમુખની વરણી થવી જોઈએ તેવી વાતો થઇ રહી છે ત્યારે હમેશા વિવાદોથી દુર રહેતા સતવારા સમાજમાં હવે પ્રમુખના પદ માટે વિવાદ જાગ્યો છે અને એક આગેવાનના કારણે સમાજની પ્રતિષ્ઠા પણ સોશ્યલ મીડિયામાં ખરડાઈ રહી છે.

(12:41 pm IST)