Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

સુરેન્દ્રનગરમાં લોક કલાકારોનું કાર્ય શિબિર

વઢવાણઃ રાજય નાટક સંગીત અકાદમી ગાંધીનગરના સહયોગથી ઝાલાવાડી લોક કલાકાર પરીવાર સુરેન્દ્રનગર દ્વારા  સ્વામીનારાયણ મંદિર જવાહર ચોક ખાતે સવારે ૯.૦૦ થી સાંજે ૬.૦૦ વાગ્યા સુધીની એક દિવસીય કાર્ય શિબિરનું આયોજન પ્રમુખ સુરેશભાઇ રબારી સંયોજક શ્રી ગોપાલભાઇ બારોટ (ઝાલાવાડી લોકસાહિત્ય પરીવાર) તથા પ્રમુખ ભુપેન્દ્રભાઇ દવે ઉપપ્રમુખ શિરિષભાઇ ઓઝા (ઝાલાવાડ લોક સાહિત્ય પરીવાર) દ્વારા કરવામાં આવ્યું. આ પ્રસંગે બાબુભાઇ મેઘજીભાઇ શાહ પુર્વનાણા મંત્રી (ગુજરાત) શાહબુદીનભાઇ રાઠોડ (ચિંતક અને હાસ્ય કલાકાર) સ્વામી નારાયણ મંદિરના મહંત ગીરીશ ભાઇ ગઢવી રામકુભાઇ ખાચર વગેરે લોકસાહિત્યકારો તથા લોક કલારસીકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. સંચાલન અશોકભાઇ સોનીએ કર્યુ હતું. (તસ્વીરઃ અહેવાલઃ ફઝલ ચૌહાણ-વઢવાણ)

(11:17 am IST)