Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

મોરબી સામે કાંઠે જોમી વીજપોલ હટાવવામાં વીજ તંત્ર બેદરકાર

મોરબી તા.૩૧: સામા કાંઠે જોખમી વીજપોલ રીપેર કરવામાં તંત્ર બેદરકારી વલણ છતું થયું છે અને ગમે ત્યારે પડે તેમ છે તેવી રજુઆત ડો. વસંતભાઇએ વીજ સતાવાળાઓને કરી છે.

સામાકાંઠા વિસ્તારમાં આવેલ સરકીટ હાઉસ રોડ ઉપર ગોપાલ સોસાયટી પાસે આવેલ રવી હોસ્પીટલ પાસે મેઇન રોડ ઉપર વિજ પોલ આવેલ છે.  હાલ ચોમાસાની સીઝન હોઇ અને આ પોલ મેઇન રોડ ઉપર આવેલ છે એટલે વાવાઝોડાના કારણે ગમે ત્યારે તુટી પડે તેમ છે જેના કારણે મોટી જાનહાનીનું જોખમ છે. આ અંગે અમોએ અવાર નવાર નાયબ ઇજનેરને રજુઆત કરેલ છે પરંતુ કોઇ રીપેરીંગ કરેલ નથી તેમ રજુઆતમાં જણાવેલ છે.

બ્રહ્મસમાજના ડો.લહેરૂનો શુભેચ્છા સમારંભ યોજાય

બ્રહ્મ સમાજ અગ્રણી અનેક સેવાકીય સંસ્થામાં સક્રિય હોદ્દેદાર તથા સેવાભાવી ડો. બી. કે. લહેરૂ તથા તેમના ધર્મપત્ની ઉર્મિલાબેન લહેરૂ વિદેશ પ્રવાસે યુએસએ તથા કેનેડાના પ્રવાસે રવાના થયેલ. તેમનો શુભેચ્છા સમારંભ યોજાયેલ. આ પ્રસંગે શુભેચ્છકો તથા મિત્રો, પરિવારજનો તથા સમાજના અગ્રણીઓએ હાજરી આપેલ હતી.

(11:08 am IST)