Gujarati News

Gujarati News

News of Sunday, 31st May 2020

અમરેલી જિલ્લામાં કોરોનાના પ્રથમ દર્દીનું મોત : ગજેરાપરાની મહિલાનું મોત : ર૮ મીએ અમદાવાદથી અમરેલી આવેલ

અમરેલી સરકારી હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં સારવાર ચાલુ હતી

અમરેલી : આજ સુધી કોરોના મુકત રહેલ અમરેલી જિલ્લામાં પ્રથમ કોરોના દર્દીનું મોત થયું છે.

તા. ર૮ના રોજ અમદાવાદથી અમરેલી આવેલા અને અમરેલીના ગજેરાપરામાં રહેતા એક મહિલાને કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતા અમરેલીની સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલુ હતી દરમ્યાન આજે સવારે તેનું મોત નિપજયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લામાં છેલ્લા બે માસમાં કોરોનાના આ પ્રથમ દર્દીનું મોત નિપજયું છે. આ બનાવના પગલે લોકોમાં થોડી ચિંતાની લાગણી ફેલાવા પામી છે.

(1:25 pm IST)