Gujarati News

Gujarati News

News of Friday, 31st May 2019

માણાવદરનાં પાજોદની પરિણિતાનો સાસરીયાના ત્રાસથી આપઘાત

મેંદરડાની પરિણીતાની પણ આત્મહત્યા

જૂનાગઢ તા. ૩૧ :.. માણાવદર તાલુકાનાં સણોસરા ગામના મંજૂલાબેન ગોવિંદભાઇ ભાલોડીયા-પટેલની પુત્રી મમતાબેનનાં લગ્ન ૧ર વર્ષ અગાઉ માણાવદર માણાવદરનાં પાજોદનાં રોહિત વજુભાઇ ડઢાણીયા સાથે થયેલ.

જેમાં પાંચ-છ વર્ષથી મમતાબેનને તેના પતિ તથા સસરા વજુભાઇ સવજી, સાસુ મંજૂલાબેન ઘરકામ બાબતે ત્રાસ આપવાનું શરૂ કરી જ મરી જવા માટે મજબુર કરેલ.

આથી ગત તા. રપ નાં રોજ મમતાબેને ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે મૃતકના માતા મંજુલાબેન ભાલોડીયાએ બાંટવા પોલીસમાં ફરીયાદ કરતા પી.એસ.આઇ. આર.જી. મહેતાએ ધોરણસરની કાર્યવાહી કરી છે.

અન્ય એક આવા બનાવમાં વડોદરા ખાતે રહેતા દિનેશભાઇ તુલશીભાઇ પંડીયાની પુત્રીના લગ્ન મેંદરડાના નિતીન મોહન ગેડીયા સાથે થયેલ. પરંતુ પતિ નીતીન ઉપરાંત સસરા મોહનભાઇ  સાસુગંગાબેન જેઠ વિજય જેઠાણી ઉષા અને નણંદ રમીતાએ દિનેશભાઇની પુત્રીને મરી જવા મજબુર કરતા તેણીએ ઝેરી દવા પીને આપઘાત કર્યાની પોલીસ ફરીયાદ થઇ છે.જેની તપાસ પી.એસ.આઇ. કે.સી.રાણા ચલાવી રહ્યા છે.

(11:36 am IST)