Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

મોરબીના ઘુંટુમાં ગળાફાંસો ખાઇ લેનાર વીણાબેને રાજકોટમાં દમ તોડી દીધો

છ દિવસ પહેલાનો બનાવઃ મહિલાએ માનસીક બીમારીથી કંટાળી પગલું ભર્યું

રાજકોટ તા. ૩૧: મોરબીના ઘુંટુ ગામમાં રહેતી મહિલાએ છ દિવસ પહેલા ગળાફાંસો ખાઇ લેતા તેનું રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

મળતી વિગત મુજબ ઘુંટુ ગામમાં રહેતા વીણાબેન દિનેશભાઇ સુવાળીયા (ઉ.વ. ૪૩) એ ગત તા. રપના રોજ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લીધો હતો. પરીવારજનો જોઇ જતા તેને તાકીદે સારવાર માટે રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં ખસેડાયા હતાં ત્યાં ગઇકાલે તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. મૃતક વીણાબેનને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પતિ ખેતી કરે છે. તેણે માનસીક બીમારીના કારણે આ પગલું ભર્યું હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું.

આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકના પી.એસ.આઇ. પી. એચ. બુટાણી તથા રાઇટર મહેશભાઇ કછોટે પ્રાથમીક કાગળો કરી મોરબી મોકલવા તજવીજ હાથ ધરી છે.

(11:43 am IST)