Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

કાલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કોસ્ટગાર્ડના નવા ભવન તેમજ પાણી પુરવઠાના વિકાસ કામોનું લોકાર્પણ- ખાતમૂહુર્ત કરશે : ઓખા ખાતે સિગ્નેચર બ્રિજની સાઇટ વિઝિટ કરશે

ગાંધીનગર : મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી દ્વારા કાલે તા. ૩૧ ડિસેમ્બર, ૨૦૨૦ના રોજ દેવભૂમિ દ્વારકાના ઓખા ખાતે કોસ્ટગાર્ડના નવા બે ભવનનું ઉદ્દઘાટન કરવામાં આવશે. ત્યારબાદ મુખ્યમંત્રીશ્રી ઓખા ખાતે તૈયાર થઈ રહેલા ગુજરાતના પ્રથમ સિગ્નેચર બ્રિજનું હોવરક્રાફ્ટ દ્વારા સ્થળ મુલાકાત કરીને કામનું નિરીક્ષણ કરશે.

આ ઉપરાંત બપોર બાદ મુખ્યમંત્રીશ્રી દેવભૂમિ દ્વારકા જિલ્લાના પાણી પુરવઠા વિભાગના તેમજ જિલ્લાના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત પણ કરશે.

 

(5:13 pm IST)