Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

ગિરનાર શ્રી અંબાજી શકિતપીઠ ખાતે દતજયંતિ મહોત્સવની ઉજવણીઃ અંબાજી માતાજીની મહાપૂજા : નરેન્દ્રભાઇ મોદીને આમંત્રણ અપાશે

જુનાગઢ : ગરવા ગિરનારપર બિરાજમાન આદ્યશકિતમાં અંબાજી શકિતપીઠ ખાતે આજરોજ દતજયંતિ મહોત્સવ પ્રસંગે દતયજ્ઞ તથા અંબાજીમાંની મહાપૂજા કરવામાં આવી હતી.  અંબાજી મંદિર ખાતે મોટા પીરબાવા શ્રી તનસુખગીરી બાપુ તથા નાના પીરબાવા ગણપતગીરી બાપુના સાનિધ્યમાં સાંસદ શ્રી રાજેશ ચુડાસમા, મેયરશ્રી ધીરૂભાઇ ગોહેલ, ગીરીશભાઇ કોટેચા, યોગીભાઇ પઢીયાર, જયોતિબેન વાછાણી, તથા ઉડન ખટોલાના શ્રી દિનેશ પુરોહિત સહિતના માઇ ભકતો ઉપસ્થિત રહી દત યજ્ઞ તથા માં અંબાજીના પૂજન અર્ચન કર્યા હતાં.  મોટા પીર બાવા શ્રી તનસુખગીરી બાપુએ આજના યજ્ઞ તથા મહાપૂજાનું ફળ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીને માં અંબાજીના આશિર્વાદ સાથે અર્પણ કરવામાં આવ્યું. આગામી સમયમાં દિલ્હી જઇ મોટા પીરબાવા તનસુખગીરી બાપુ તથા નાના પીરબાવા ગણપતગીરી બાપુ ગિરનાર રોપ વે શરૂ કરવાની યશસ્વી કામગીરી કરનાર વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને મહાપૂજાનો પ્રસાદ તથા આશિર્વાદ રૂબરૂ મળી અંબાજી મંદિર ખાતે દર્શન કરવા પધારવાનું આમંત્રણ અપાશે. (અહેવાલઃ વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(1:28 pm IST)