Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

જુનાગઢમાં પરિણીતાએ અગમ્ય કારણસર ગળાફાંસો ખાધો

૭ મહિના અગાઉ જ લગ્ન થયેલા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૩૦:  જુનાગઢના જોશીપરાના શાંતેશ્વર શેરી નં.૭માં ચેતન પરબતભાઇ કામરીયાની પત્ની નીશાબેન (ઉ.વ.ર૦)એ ગઇકાલે પોતાના ઘરે છતેથી દોરડા વડે ઇલેકટ્રીક પંખાના હુક સાથે લટકીને ગળાફાંસો ખાય લીધો હતો.

આ પરિણીતાના આપઘાત પાછળનું કારણ બહાર આવેલ નથી. મૃતકના  સાત મહિના અગાઉ જ લગ્ન થયેલ. વિશેષ તપાસ બી ડીવીઝનનાં પીએસઆઇ એસ.ડી. સોનારા ચલાવી રહયા છે.

(1:27 pm IST)