Gujarati News

Gujarati News

News of Wednesday, 30th December 2020

દુધીવદર પાસેના અકસ્માતમાં મૃત્યુ પામનાર મહિલાના છ વર્ષના ઇજાગ્રસ્ત ભાણેજનું મોતઃ અરેરાટી

(ધર્મેશ બાબરીયા દ્વારા) ધોરાજી તા.૩૦ : જામકંડોરણાના દુધીવદરના પાટીયા પાસે ધોરાજીના ભાદાજાળીયાના ખેડુત ભુપતભાઇ મોહનભાઇ પાઘડાર અને તેમના ધર્મપત્ની અલ્કાબેન ભાદાજાળીયાથી ધોરાજી તેના સાઢુભાઇને ત્યા આવેલ અને જામકંડોરણા જવા માટે જતા તેમના નાના પુત્રને સાથે જવા કહેતા ધ્યેયને સાથે લઇ ધોરાજીથી જામકંડોરણા જતા દુધીવદરના પાટીયા પાસે ટ્રકે હડફેટે લેતા ત્યાંજ અલ્કાબેનનું કરૂણ મોત થયેલ અને ધ્યેય હિતેશભાઇ સાકરીયા ઉ.૬ વાળાને ગંભીર ઇજાઓ થતા તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડેલ હતો જયાં રાજકોટ સારવાર દરમ્યાન કરૂણ મોત થયેલ.

આ અંગે જામકંડોરણા પોલીસ મથકમાં આઇપીસી કલમ ર૭૮/૩૦૪/અ/૩૩૭/૩૩૮/૧૭૭/૧૮૪ અને ૧૩૪ મુજબનો ગુનો નોંધી ભાગી ગયેલ ટ્રક ચાલકને જામકંડોરણાના પીએસઆઇ જે.યુ. ગોહીલે જામકંડોરણામાં રીટ કરેલ સીસીટીવીની મદદથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ હતી.

આ બનાવની કરૂણતાતો એ છે કે મરણ જનાર અલ્કાબેનને સંતાનો નથી અને મરણ જનાર તેણીની બ્હેનો પુત્ર ધ્યેય ધોરાજીની સેનવાડી પાસે રહે છે અને તેના પીતા બસ સ્ટેન્ડ પાસે નંદન મોબાઇલની દુકાન ચલાવે છે મરણ જનાર એકનો એક પુત્ર હોય પરીવારમાં ઘેરા શોકની લાગણીઓ વ્યાપેલ હતી.

(1:26 pm IST)